પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦ર/૧૦/૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો. માન.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, સાંસદશ્રી મુકેશ દલાલ, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી, માન.ડે.મેયરશ્રી ડો.નરેશ એસ. પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી રાજન પટેલ, મ્યુનિ.કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ(IAS), શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના દંડકશ્રી ધર્મેશકુમાર વાણીયાવાલા, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, વિવિધ ધર્મના ધર્મગુરૂશ્રીઓ, મ્યુનિ.અધિકારીશ્રીઓ તથા ગાંધીપ્રેમી નગરજનોએ પૂજય ગાંધી બાપૂની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી વંદના કરી હતી.