Filter
Exclude
Time range
-
Near
Indian Governments New Rules For Messaging Apps : કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે નવો આદેશ જાહેર કર્યો છે. જેના લીધે હવે વ્હોટ્સએપ (WhatsApp), ટેલિગ્રામ (Telegram), સ્નેપચેટ (Snapchat), સિગ્નલ મેસેન્જર (Signal Messenger) જિયોચેટ (JioChat), અરટ્ટાઇ (Arattai) અને જોશ (Josh) જેવી તમામ લોકપ્રિય એપ એક્ટિવ સિમ કાર્ડ વગર યુઝ નહીં કરી શકાશે. હવે બેન્કિંગ અને UPI એપ્સની જેમ જો એક્ટિવ સિમકાર્ડ નહીં હોય તો એપમાં લોગઇન કરી નહીં શકાશે. હવે આ પ્લેટફોર્મ્સે સુનિશ્ચિત કરવું પડશે કે, યુઝરનું સિમ કાર્ડ હંમેશા એપ સાથે કનેક્ટ રહે. દરેક પ્લેટફોર્મને 90 દિવસની અંદર આ નિયમો લાગુ કરવા આદેશ અપાયા છે. સાયબર ગુનેગારોને અટકાવવા લેવાયેલો નિર્ણય સરકાર મુજબ, આવું કરવાથી ગુનેગારો માટે દૂર બેસીને નકલી એકાઉન્ટ ચલાવવા મુશ્કેલ થઇ જશે, કારણ કે દર વખતે એક્ટિવ અને વેરિફાઇડ સિમ કાર્ડ હોવું જરૂરી છે. હાલ મોટાભાગની મેસેજિંગ એપ્સ ફક્ત પહેલી વખત ઇન્સ્ટોલ કરતા સમયે મોબાઇલ નંબર વેરિફાઇ કરે છે. ત્યારબાદ સિમ કાર્ડ હટાવવા અથવા બંધ થવા પછી પણ એપનો ઉપયોગ કરી શકાય છે. જેનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો સિમ બદલ્યા કે બંધ કર્યા પછી પણ એપનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમની લોકેશન, કોલ રેકોર્ડ કે કેરિયર ડેટા ટ્રેસ કરી શકાતું નથી. સામાન્ય યુઝરને શું અસર થશે? સરકારના આ નિર્ણયથી કરોડો ભારતીયોને અસર પડશે. હવે યુઝર સતત ઘણાં દિવસો સુધી WhatsApp Web ચાલુ નહીં રાખી શકે. હવે દર 6 કલાકે લોગઆઉટ કરવું પડશે. આ ઉપરાંત જો SIM Card બંધ થઇ જાય કે SIM સ્લોટમાં ના હોય તો એપ ખુલશે જ નહીં, તેમજ જે યુઝર પાસે બે ડિવાઇસ છે, તેઓ પહેલાની જેમ બંને ડિવાઇસ પર એપ વાપરી શકશે નહીં. #India #WhatsApp #MessagingAppsRules #Telegram #Snapchat #DigitalUpdates #SignalApp #IndianGovernmentRules #SIMVerification #DigitalSafety #CyberSecurity #SocialMediaRegulation #OnlineSafety #CyberCrimeControl #InstantMessagingApps #IndiaDigitalPolicy #GSCard #GujaratSamachar
2
28
1,472