દેશની અવિરત વિકાસયાત્રાના સુવર્ણ ૧૨ વર્ષ! 📈
'૧૨ વર્ષ - વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp જીના ગરિમામય અધ્યક્ષ સ્થાને તથા માનનીય પ્રદેશ અધ્યક્ષ
@iJagdishBJP જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 'મીડિયા સંવાદ' કાર્યક્રમમાં સહભાગી થયો. કાર્યક્રમ પૂર્વે માનનીય પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીજી અને પ્લેન દુર્ઘટનાના દિવંગતોને પ્રથમ પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરી.
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નીતિબદ્ધ શાસન, પારદર્શિતા અને જન-જનના કલ્યાણને વરેલી નીતિઓ થકી દેશમાં વિકાસના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. જનસેવા સમર્પણના આ મહા-અભિયાન અંતર્ગત મીડિયાના મિત્રો સાથે માનનીય મોદી સાહેબના સક્ષમ નેતૃત્વ નીચે થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ.